ભારત આટલું કરે તો 2036 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની શકે
ભારતે 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવું હોય તો રૂપિયાના મૂલ્યમાં 14.2 ટકા વૃદ્ધિ થવી જરૂરી. આના માટે રૂપિયો દર વર્ષે 3થી 3.6 ટકા વૃદ્ધિ પામવો જરૂરી

નવી દિલ્હીઃ ભારત 2036 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે. આ માટે રૂપિયાના મૂલ્યમાં 14.2 ટકા વૃદ્ધિ થવી જરૂરી છે. આના માટે રૂપિયો દર વર્ષે ત્રણથી 3.6 ટકા સુધી વૃદ્ધિ પામે તે જરૂરી છે, એમ સ્થાનિક બ્રોકરેજ ફર્મ ઇક્વિરસના રિપોર્ટમાં જણાવાયું હતું.
ઇક્વિરિયસનો અંદાજ છે કે આ પગલાંના લીધે ભારતનો વૃદ્ધિદર ઉચકાઈ શકે છે. તેની સાથે વિદેશી મોરચે સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે. ભારતને બે ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનવામાં 67 વર્ષ લાગ્યા હતા અને તે છેક 2014માં બન્યું હતું. હાલમાં ભારત 3.7 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી છે અને તેમાથી 20 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી ફક્ત એક દાયકામાં બનવાનું છે. આ માટે ઇકોનોમીએ 5.5 ગણું વૃદ્ધિ પામવું જરૂરી છે અને વર્ષે ડોલરમાં વૃદ્ધિ 18 ટકાના દરે થઈ શકે છે. જ્યારે સામાન્ય ટ્રેન્ડ 10થી 11 ટકાનો જોવા મળ્યો છે.
બ્રોકરેજની નોંધ છે કે સંયુક્ત ધોરણે વૃદ્ધિ નોંધાવવી જરૂરી છે. તેમા પણ સર્વિસિસ સેક્ટર ગ્રોથનું એન્જિન બની શકે છે. હાલમાં કુલ જીડીપીમાં સર્વિસિઝનો હિસ્સો 54 ટકા છે. આ માટે તેનો હિસ્સો વધારી 65 ટકા કરવાની જરૂર છે. તેની સાથે તેનો ફાળો બે ટ્રિલિયન ડોલરથી વધારીને 11 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવો જરૂરી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધારે સંરક્ષણવાદી વાતાવરણની જરૂર પડી શકે છે.
આ માટે પ્રસ્તાવિત રિફોર્મ્સનો વ્યાપ રીયલ ઇકોનોમી, કેપિટલ માર્કેટ્સ, હ્યુમન કેપિટલ, સર્વિસિઝ અને અર્બન ગવર્નન્સમાં જરૂરી છે. તેમા ઇંધણને જીએસટીમાં લાવવાનો, રાજ્યનો મૂડીખર્ચ વધારવાનો, રેલ્વેની કંપનીઓના લિસ્ટિંગ, પ્રાઇવેટ સેક્ટર આર એન્ડ ડી, કોર્પોરેટ બોન્ડ માર્કેટ્સ અને કાર્યશીલ મૂડીમાં આવતા અવરોધો તથા ટેક્સમાં ઘટાડા સહિતના પગલાનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ એડવાન્સ ટેક્સ નાબૂદ કરવાથી જ લગભગ 10 લાખ ટ્રિલિયન રૂપિયાની કાર્યશીલ મૂડી છૂટી થઈ શકે તેમ છે. જ્યારે ફક્ત પાંચ ટકા ટીડીએસ રાખવાના લીધે બીજા 13.4 લાખ કરોડ છૂટા થઈ શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
- વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
- ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
- Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
